• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • ચોમાસામાં રાત્રે ઘરમાં જીવજંતુઓ કરે છે પરેશાન? આ 5 અસરકારક ટિપ્સથી મિનિટોમાં જંતુઓ થશે ગાયબ...

ચોમાસામાં રાત્રે ઘરમાં જીવજંતુઓ કરે છે પરેશાન? આ 5 અસરકારક ટિપ્સથી મિનિટોમાં જંતુઓ થશે ગાયબ...

11:32 AM July 06, 2023 admin Share on WhatsApp



How to Get Rid of Moths at Home : ચોમાસાની સિઝન શરૂ થતા જ રાત્રીના સમયે ઘરમાં જ્યાં લાઈટ શરૂ હોય ત્યાં આસપાસ અનેક પ્રકારના જીવજંતુ આવવા લાગે છે. જે શાંતીથી આપણને ખાવા-સુવા દેતા નથી. જેનાથી છૂટકારો મેળવવો ઘણીવાર મુશ્કેલ બની જાય છે. તેથી આજે અમે તમને જણાવીશું કે લાઇટની આસપાસ ફરકતા જીવજંતુઓથી છૂટકારો કેવી રીતે મેળવી શકાય છે. તમે કેટલાંક સરળ ઉપાયો કરીને મિનિટોમાં આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

1.સાંજે બારી-દરવાજા બંધ કરી દો: સાંજના સમયે લાઇટ ચાલુ કરતાં પહેલા ઘરના બારી-દરવાજા બંધ કરી દો. તે બાદ જ ઘરની અંદરની લાઇટ ચાલુ કરો. આવું એટલા માટે કારણ કે જીવજંતુઓ લાઇટની આસપાસ જ ફરતા રહે છે. તેથી ઘરની લાઇટ ચાલુ કરતાં પહેલા બારી-દરવાજા બંધ જરૂર કરો. જેનાથી તે ઘરમાં પ્રવેશી ન શકે.

2.ઘરમાં હોમમેડ કેન્ડલ સળગાવો: સાંજના સમયે બારી-દરવાજા બંધ કર્યા બાદ, લાઇટ ચાલુ કરતા પહેલા ઘરમાં થોડી વાર કેન્ડલ સળગાવો. જો તમે ઇચ્છો તો હોમમેડ કેન્ડલ બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેને બનાવતી વખતે પેપરમિંટ અને લેવેંડર ઓઇલને મીણમાં જરૂર એડ કરો. 

3.લાઇટ બંધ કરો: જો તમને ઘરમાં લાઇટની આસપાસ જીવજંતુઓ દેખાય, તો તમે થોડી વાર માટે તમારા ઘરની બધી જ લાઇટો બંધ કરી દો. તેનાથી થોડી જ વારમાં તે ઘરની બહારની રોશનીથી આકર્ષિત થશે અને બહાર ચાલ્યા જશે. જો તમે ઇચ્છો તો તેનાથી છૂટકારો મેળવવા માટે ઘરમાં ગલગોટાના ફૂલોનો ગુલદસ્તો અથવા તુલસીના પાનને પણ ઘરમાં ખૂણે-ખૂણે મુકી શકો છો. અથવા કડવા લીમડાના પાનનો ધુમાડો કરો. 

4.ઘરે બનાવો એર ફ્રેશનર: જીવજંતુઓથી છૂટકારો મેળવવા માટે તમે ઘરે જ હોમમેડ એર ફ્રેશનર તૈયાર કરી શકો છો. તેને બનાવવા માટે એક બાઉલમાં થોડો બેકિંગ સોડા લો અને તેમાં યુકેલિપ્ટસ, સિટ્રોનેલા એસેંશિયલ ઓઇલ અને લેમન જ્યૂસના દસ-દસ ટીપાં મિક્સ કરો. પછી આ મિક્ચસરને એક સ્પ્રે બોટલમાં ભરો અને સમયે-સમયે ઘરના દરેક ખૂણે સ્પ્રે કરો. ખાસ કરીને લાઇટની આસપાસ તેને સ્પ્રે જરૂર કરો.

5.આ વસ્તુઓને સાફ કરો: વરસાદની સીઝનમાં ઘરની સફાઇની સાથે સાથે બારી-દરવાજા અને ટ્યૂબલાઇટ તથા બલ્બની સફાઇ પણ કરતા રહો. તેના માટે બે મગ પાણીમાં એક કપ વિનેગર અને એક લીંબુનો રસ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. તે બાદ આ મિશ્રણમાં કપડુ બોળીને નીચોવી લો. હવે તેનાથી બારી-દરવાજાની સાથે બલ્બ અને ટ્યૂબલાઇટને પણ સાફ કરો. પરંતુ તેની પહેલા પાવર કટ કરવાનું ન ભૂલો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Gujju News Channel આની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us